બાગડબિલ્લા અને બિગબુલ વચ્ચે શું સામ્ય?

તમને ખબર તો છે ને ૨૫ ઑક્ટોબરે કોમેડી + થ્રિલર + સુપર નેચરલ ગુજરાતી મૂવી ધમાલ મચાવવા આવી રહી છે! હા, “બાગડ બિલ્લા”… પણ તમે કહેશો કે આ જે સવાલ પૂછ્યો એના જવાબનું શું? બાગડબિલ્લા અને બિગબુલ વચ્ચે શું સામ્ય?

વાચક મિત્રો જિંદાબાદ

મારી પ્રથમ ગુજરાતી લઘુનવલ “નવોદય”ને આપે દીલથી ચાહી અને વધાવી તે બદલ આપનો અંતઃકરણપૂર્વક આભાર માનુ છું. “નવોદય”ના વેચાણ થકી નેક્ષસ પબ્લીકેશન દ્વારા મને જે રોયલ્ટી મળી એ મેં https://bharatkeveer.gov.in/ પર આપણા વીર શહિદ જવાનને અર્પણ કરેલ છે. આ કાર્યમાં હું તો નિમિત્ત માત્ર છું, ખરા સહાયકર્તા તમે વાંચકમિત્રો જ છો. “નવોદય”નું પ્રથમ પ્રકરણ મેં આ બ્લોગ પર મૂકેલું જ છે. એટલે જેમને પણ “નવોદય” વિષે તાલાવેલી છે, અને પુસ્તક ખરીદવું કે કેમ એની અવઢવમાં હોય એ પહેલું પ્રકરણ વાંચી શકે છે.

Microfiction બાઇટ્સ – “સર્જન”નું નવલુ નઝરાણુ

માઇક્રોફિક્શન વાર્તાનું પોતાનું એક અલગ બંધારણ છે. આ બંધારણને અનુસરીને “સર્જન” પરિવારના સાહિત્યકારો માઇક્રોફિક્શન રચે છે. એ વાર્તાઓમાંથી ઉત્તમ વાર્તાઓની પસંદગી કરાય છે. ચાર ગળણે ગાળીને એ વાર્તાઓનું સંકલન થાય છે. આથી જ “સર્જન”ના તમામ પુસ્તકો લોકપ્રિય બન્યા છે.

એશિયા અને ઇંડિયા બુક ઓફ રેકોર્ડ્સ – ૫૭ પુસ્તકોનું વિમોચન એક દિવસે – ૨૨.૦૨.૨૦૨૨

૧૦ વર્ષથી લઈ ૭૦+ વર્ષના સાહિત્યકારો તેમના પેપરબેક પુસ્તક એક સાથે એક મંચ પર લઈને આવ્યા. ૫૭ પુસ્તકોનું પ્રકાશન થયું અને વિમોચન થયું. આ વિરલ ઘટનાની નોંધ લેવાઈ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ તથા ઇંડિયા બુક ઓફ રેકોર્ડ્સે પણ વિસ્તૃત નોંધ લઈ આ આયોજન તથા દરેક પુસ્તકને અધીકૃત કરી સર્ટીફિકેટ આપ્યા.

કોરોના યોદ્ધા (ગુજરાતી) – ભાગ ૧ અને ૨ – પુસ્તક પરિચય

કોરોના યોધ્ધાઓની દાસ્તાન આપણે સૌએ અખબારમાં, ટીવીમાં, સોશિયલ મિડીયામાં વાંચી અને સાંભળી. આ યોધ્ધાઓની ગાથાને શબ્દ સ્વરૂપે અંકિત કરવા “નેક્ષસ પબ્લીકેશને” વાર્તા સ્પર્ધાનું આયોજન કર્યું. સૌ મિત્રોએ આ સ્પર્ધાને વધાવી લીધી અને તેઓએ કોરોના યોધ્ધાઓની ગાથાને શબ્દ દેહ આપ્યો. દરેક વાર્તા કોરોના વોરિયર્સના સંઘર્ષને વણે છે, તેમની મનોસ્થિતિને રજૂ કરે છે અને ખાસ તો આપણને સહુને આવુ નેક કાર્ય કરવા પ્રેરિત કરે છે. કેટલાય એવા લોકો છે જેમના કાર્યોની નોંધ લેવાઈ નહોતી, કેટલીયે એવી ઘટનાઓની નોંધ લેવાઈ નહોતી –એવા કાર્યો, એવી ઘટનાઓ વાર્તાઓ સ્વરૂપે રજૂ થઈ અને સમાજને એક નવી રાહ બતાવતી થઈ છે.

ઓધાજી રે; મારા વા’લા ને વઢીને કે’જો રે – શ્રી પરેશભાઈ પાઠક

આ ક્રિષ્ન વિરહ ગીત એક મનોવેદના છે જેને ક્રિષ્ન-ભાવકો દ્વારા ગુસ્સાના વાઘા પહેરાવવામાં આવ્યા છે . ગોપીઓ, શૈશવ મિત્રો તથા માતા યાશોદાને ગોકુળમાં મુકીને મુરલીધર કૃષ્ણ કર્તવ્ય પરસ્ત બની મથુરાની રાહે ચાલી નીકળે છે ત્યારે કૃષ્ણ - વિરહમાં પીડાતી ગોપીઓ, તેના બાલ-સખા, તેમજ સમગ્ર ગોકુળની મનોભાવના અને વ્યાકુળતાને દર્શાવતું આ ગીત, સાંભળનાર અને સંભળાવનાર ને ભાવ વિભોર કરી દે છે.

ચા વિના સૂનો સંસાર! – ગોપાલ ખેતાણી

ચાના રસિયા તમને ગામ-એ-ગામ જોવા મળશે. એકાદી ઉજ્જડ જગ્યાએ પણ તમને ચાની ટપરી કે લારી જોવા મળશે. એક પ્રખ્યાત કાર્ટૂનમાં તો દર્શાવ્યું હતું પણ ખરું કે આપણા નિલભાઈ મજબૂત ખભાવાળા..ના ઓળખ્યા ? અરે નિલ આર્મસ્ટ્રોંગ.. હાં તો એ  જ્યારે ચંદ્ર પર પહોંચ્યા ત્યારે એક મલયાલીભાઈ ત્યાં તેમની ચા બનાવતાં બનાવતાં રાહ જોતા હતાં. રાજકોટની જય અંબેથી માંડીને મુંબઈની તાજ હોટેલ્સ સુધીની ચા ફેમસ છે. ડિપ્લોમા એન્જિનિયરિંગના ત્રણ વર્ષ વત્તા ડિગ્રી એન્જીનિયરિંગના ત્રણ વર્ષનો તાળો મેળવતાં એટલું સમજાયું કે જો ચા ઊગે તો જ એન્જીનિયરિંગ સારી રીતે પૂરું થાય.  પરીક્ષા તો સમજ્યાં, ટર્મવર્ક પૂરું કરવાં અને સબમિશન માટે સારી ચા પીવી અને મળવી સૌથી જરૂરી વસ્તુ છે.

ઉદયાસ્ત – દ્વારકા સોમનાથ ~ શ્રી નિપેશ જ. પંડ્યા

સોમનાથ સુવર્ણ મંદિર કેવી રીતે બન્યું, દ્વારકા સોનાની નગરી હતી કે નહીં, ગઝનીનો સુલતાન અહીં છેક કેવી રીતે આવ્યો વગેરે અનેક સવાલોના જવાબ સચોટ રીતે આ ઐતિહાસીક ફિક્શન નવલકથામાં વાચકોને મળી રહે છે. અને આ સવાલના જવાબ મળશે અને પછી તમે જ્યારે પણ સોમનાથ –દ્વારકા – બેટ દ્વારકાની મુલાકાત લેશો ત્યારે આ નવલકથા તમને યાદ આવશે એની ૧૦૦૧% ગેરંટી!