વાચક મિત્રો જિંદાબાદ

મારી પ્રથમ ગુજરાતી લઘુનવલ “નવોદય”ને આપે દીલથી ચાહી અને વધાવી તે બદલ આપનો અંતઃકરણપૂર્વક આભાર માનુ છું. “નવોદય”ના વેચાણ થકી નેક્ષસ પબ્લીકેશન દ્વારા મને જે રોયલ્ટી મળી એ મેં https://bharatkeveer.gov.in/ પર આપણા વીર શહિદ જવાનને અર્પણ કરેલ છે. આ કાર્યમાં હું તો નિમિત્ત માત્ર છું, ખરા સહાયકર્તા તમે વાંચકમિત્રો જ છો. “નવોદય”નું પ્રથમ પ્રકરણ મેં આ બ્લોગ પર મૂકેલું જ છે. એટલે જેમને પણ “નવોદય” વિષે તાલાવેલી છે, અને પુસ્તક ખરીદવું કે કેમ એની અવઢવમાં હોય એ પહેલું પ્રકરણ વાંચી શકે છે.