મહાભારતમાં ઉદ્યોગપર્વ સર્વોત્તમ ગણાય છે કારણ કે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહેલ વચનો ઉદ્યોગપર્વ અંતર્ગત ‘પ્રજાગરપર્વ’માં આવેલ છે. તેથી જ મહાભારતમાં ‘ઉદ્યોગપર્વ એ સાર છે’ તેમ પંડિતો કહે છે. વિદુરે ધૃતરાષ્ટ્રને જે ઉપદેશ વચનો કહ્યાં તે ‘વિદુરનીતિ’ એવા નામથી જગતમાં પ્રસિદ્ધ છે. મહાત્મા વિદુરજીએ જે નીતિ વિષે સમજાવ્યું તે આજે પણ પ્રાસંગિક છે. નેક્ષસ વાર્તા સ્પર્ધા અંતર્ગત 'નેક્ષસ પ્લેટિનમ' સ્પર્ધા યોજાયેલી જેમાં લઘુનવલ લખવાની હતી. પણ તેમાં થીમ આપેલી હતી 'વિદુરનીતિ'. મેં લખેલી લઘુનવલ 'નવોદય' આપની સમક્ષ રજુ કરી રહ્યો છું.